
દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદારની જન્મ જયંતી તા.૩૧ ઓક્ટોમ્બરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.પ્રાદેશિક માહિતી કચેરી વડોદરાના કર્મયોગીઓ દ્વારા ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચેરીના તમામ કર્મયોગીઓએ ભારતની એકતા અખંડિતતા માટે શપથ ગ્રહણ કર્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા. આ પ્રસંગે કચેરીના સૌ અધિકારી કર્મયોગીઓ હાજર રહયા હતા.


